


આજે કામિકા એકાદશીના પવિત્ર પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વૈદિક મહાપૂજામાં યજમાન તરીકે સહભાગી થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું જે બદલ BAPS સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગરના કોઠારીશ્રી પૂ. ધર્મચિંતનદાસજી સ્વામી અને સ્નેહીમિત્ર શ્રી હિતેશભાઈ સોનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આવા ધાર્મિક આયોજનો દ્વારા આત્મશુદ્ધિ થવા ઉપરાંત સમાજમાં સકારાત્મકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનો પણ પ્રસાર થાય છે.
પરમાત્મા પાસે પ્રાર્થના છે કે તેઓ હમેશાં ધર્મ, ભક્તિ અને સેવા માર્ગે આગળ વધવાની શક્તિ આપે.